10 November 2014

નવા નિયમમાં ધોરણ-૫થી ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવે તેવી શક્યતા

ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફારની કવાયત
પ્રાયમરીમાં ઠોઠ વિદ્યાર્થીઓને નાપાસ કરાશે
પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૧થી ૮માં અભ્યાસ કરતા બાળકોને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફાર આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતાથી વિચારી રહી છે. વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરતા માધ્યમિક શિક્ષણમાં તેની અવળી અસર પડતી હોવાનું તારણ બહાર આવ્યા બાદ આ નિયમ બદલવામાં આવશે. જો કે નવા નિયમમાં પણ ધોરણ-૧થી ૪માં તો વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાનું જ નક્કી કરાશે પરંતુ ધોરણ-૫થી ૮માં ઠોઠ વિદ્યાર્થીઓને નાપાસ કરી ફરીથી એ જ ધોરણમાં અભ્યાસ કરાવવાનું નક્કી થાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ સાથે જ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ-૧થી ૮ સુધીના બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ-૮ સુધી નાપાસ કરી શકાય નહીં. આ નિર્ણય બાદ અનેક વાદ વિવાદ થયા હતા. પરંતુ આ નિયમ માન્ય રાખી વિદ્યાર્થીઓને નાપાસ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો.
દરમિયાન ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ન હોવાના લીધે માધ્યમિક શિક્ષણ પર અસર પડી હતી. જેમાં ઘણા વિદ્યાર્થીઓ માધ્યમિકમાં એટલે કે ધોરણ-૯માં આવ્યા બાદ ખૂબ જ ખરાબ શૈક્ષણિક પ્રદર્શન કરતા હતા. જેના પગલે આ નિયમમાં ફેરફાર કરવાની કવાયત શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. જો કે આ ફેરફાર પહેલા અનેક રાજ્યોએ પણ આ નિયમ બરોબર ન હોવાનું કેન્દ્ર સમક્ષ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે આ નિયમની ફેરવિચારણા માટે ગીતા ભુક્કલ કમિટી બનાવી હતી. આ કમિટીએ પણ વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફારની તરફેણ કરી હોવાનું બહાર આવતા હવે સરકાર આ નિયમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે કમિટીની આગામી બેઠકમાં નિર્ણય લઈ અહેવાલ સુપરત કરી દેવાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. દરમિયાન ધોરણ-૧થી ૮માં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાના નિયમમાં ફેરફાર માટે કમિટી દ્વારા ભલામણ પણ તૈયાર કરાઈ હોવાનું જાણવા મળે છે. નવી ભલામણ મુજબ ધોરણ-૧થી ૪માં તો વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાનો નિયમ ચાલુ રાખવામાં આવનાર છે. પરંતુ ધોરણ-૫થી ૮માં જે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક દેખાવ સારો નહીં હોય તેમને નાપાસ કરવાની ભલામણ કરાઈ છે.
કમિટીની ભલામણો પર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો કે દેશના અનેક રાજ્યોએ આ નિયમ બરોબર ન હોઈ તેમાં ફેરાફારની તરફેણ કરી હોઈ કમિટીની ભલામણો સ્વિકારી લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. સંભવત નવા શૈક્ષણિક સત્ર પહેલા આ અંગે નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

ધો. 9 થી 12ના 29 પાઠ્ય પુસ્તકો બદલાશે

ધો. 9 થી 12ના 29 પાઠ્ય પુસ્તકો બદલાશે 

ધો.9 અને 11માં જૂન-2016માં તથા ધો.10 અને 12માં જૂન-2017માં નવો અભ્યાસક્રમ લાગુ કરાશે ફેરફાર 

શિક્ષણ બોર્ડ દ્વારા 10 વર્ષ બાદ અભ્યાસક્રમ બદલાવવા શરૂ કરાયેલી કવાયત
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

શિક્ષણબોર્ડ દ્વારા 10 વર્ષ બાદ ધો.9 થી 12ના 29 પાઠ્ય પુસ્તકો બદલવા નિર્ણય કરાયો છે અને નિર્ણયની અમલવારી માટે નવો અભ્યાસક્રમ ઘડવાની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે વિષય દીઠ 5 સભ્યોની કમિટી નિમવામાં આવી છે. 

           ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડે.ડાયરેક્ટર ડો.કમલેશ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12 નો અભ્યાસક્રમ 2004 થી 2006 દરમિયાનમાં ક્રમશ: બદલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, એનસીએફ 2005 અને આરટીઆઇના કાયદો 2009 માં સૂચવ્યા મુજબના તમામ ફેરફારો અભ્યાસક્રમમાં લાગુ કરી શકાયા હતા. જ્યારે, એનસીએફ દ્વારા દેશના કોઇ પણ રાજ્યમાં અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવે ત્યારે 13 થી 14 મુદ્દાઓ આવરી લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ, જે-તે વખતે તેનો અમલ કરી શકાયો હતો.
દરમિયાનમાં, શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય 3 માસ પહેલા લેવાયો છે અને તે માટે તમામ અભ્યાસક્રમ નવેસરથી ઘડવા તજજ્ઞોની ટીમો કામે લગાડવામાં આવી છે. 

             ધો.9 અને 11માં નવો અભ્યાસક્રમ જૂન-2016માં અને ધો.10 અને 12માં નવો અભ્યાસક્રમ જૂન-2017માં લાગુ કરાશે. વિષય નિષ્ણાતો દ્વારા પ્રથમ ગુજરાતી માધ્યમમાં નવો અભ્યાસક્રમ તૈયાર કરાશે અને ત્યારબાદ, તેનો અનુવાદ કરી અન્ય ભાષાના પુસ્તકો પણ તૈયાર કરાશે.
સાયન્સનોઅભ્યાસક્રમ નહીં બદલાય 

              ધો.11-12સાયન્સમાં 3 વર્ષ પહેલા સેમેસ્ટર પધ્ધતિ દાખલ કરી ત્યારે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો હોવાથી હાલમાં સાયન્સના અભ્યાસક્રમમાં કોઇ ફેરફાર નહીં કરાય તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ધોરણ વિષય 

{ 9ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગણિત, વિજ્ઞાન એન્ડ ટેક્નોલોજી, કમ્પ્યુટર 

{10ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન એન્ડ, ટેક્નોલોજી, કમ્પ્યુટર 

{11-12ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, નામુ, સેક્રેટરિયર એન્ડ પ્રેક્ટિસ એન્ડ લો 

{11-12ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, હિન્દી 

       





આવતા વર્ષે નવી શિક્ષણનીતિ અસ્તિત્વમાં આવશે