સુવિચારો



સુવિચારો
·       વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી  ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
·       ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
·        કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
·       સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
મોરારજીભાઈ દેસાઈ
·       મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.કબીર
·       જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
ડબલ્યુ એમ. ઈવાર્ટસ
·       બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
ચાણક્ય
·       પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
વેન્ડેલ ફિલિપ્સ
·       હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
સ્વામી વિવેકાનંદ
·       બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
ડેલ કાર્નેગી
·       સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
ખલીલ જિબ્રાન
·       કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.જે. કૃષ્ણમૂર્તિ

·       જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.દયાનંદ સરસ્વતી
·       આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.ચાણક્ય
·       જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
·       પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.રવીન્દ્રનાથ ટાગોર
·       જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.ગુરુ નાનક
·       માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.ઉમાશંકર જોશી
·       કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.હરીન્દ્ર દવે
·       જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.ડૉંગરે મહારાજ
·       ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.થોમસ પેઈન
·       ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
·       હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.આલબર્ટ આઈન્સ્ટાઈન
·       જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.શ્રીમદ્ રાજચંદ્ર
·       આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
લાઈટૉન
·       મારુ જીવન એજ મારો સંદેશ છે.
·       .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
·       .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
·       .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
·       .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
·       .નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
·       .શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
·       .શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
·       .શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
·       .કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
·       .શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
·       .બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
·       .બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
·       .સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
·       .હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
·       .શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
·       .તમે ન બોલો તમારા કામને બોલવા દો.
·       .જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
·       .ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
·       .પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
·       .બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
·       .બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
·       .દરેક બાળક એક કલાકાર છે.
·       .વિચાર કરતાં જ્ઞાન સારુ.
·       .બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
·       .વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
·       .તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
·       .તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
·       .જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
·       .મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
·       .જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
·       .ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
·       .વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
·       .ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
·       .સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
·       .બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
·       .આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
·       .એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
·       .આજની મહેનત આવતી કાલનું પરીણામ.
·       .દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
·       .સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
·       .નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
·       .સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
·       .સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
·       .આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
·       .વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
·       .દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
·       .નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
·       .સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
·       .એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
·       .કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
·       .અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
·       .પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
·       .ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
·       .જીવન સંઘર્ષનું બીજું નામ છે.
·       .જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
·       .જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
·       .જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
·       .વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
·       .જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
·       .પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
·       .માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
·       .જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
·       .એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
·       .સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
·       .બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
·       .ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
·       .સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
·       .વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
·       .જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
·       .સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
·       .ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
·       .નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
·       .ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
·       .સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
·       .બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
·       .કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
·       .જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
·       .મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
·       .દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
·       .એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
·       .અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
·       .મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
·       .સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
·       .પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
·       .આજના વિચારો આવતી કાલે બોલો.
·       .તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
·       .સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
·       .સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
·       .હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
·       .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
·       .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
·       .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
·       .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
·       .બાળકો પ્રભુના પયગંબરો છે.
·       .બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
·       .શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
·       .ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
·       .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
·       .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
·       .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
·       .બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
·       જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
·       .ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
·       .સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
·       .જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
·       : લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
·       દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
ફાધર વાલેસ
·       આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
સંત તુલસીદાસ
·       બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
વિનોબાજી
·       વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
શ્રી મોટા
·       જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
શેખ સાદી
·       મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
ગોનેજ
·       આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
સ્વેટ માર્ડન
·       જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
ધૂમકેતુ
·       કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
ગોલ્ડ સ્મિથ
·       ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
પ્રેમચંદ
·       દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
રવીન્દ્રનાથ
·       ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
રહીમ
·       ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
ગાંધીજી
·       જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
કાંતિલાલ કાલાણી
·       મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
મધર ટેરેસા
·       માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
ફાધર વાલેસ
·       મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
રવીન્દ્રનાથ ટાગોર
·       તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
રાજેશ વ્યાસ મિસ્કીન
·       જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
એડવિંગ ફોલિપ
·       કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
મોરારજી દેસાઈ
·       હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
ચાલટેન હેસ્ટન
·       માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
ડૉ. રાઘાકૃષ્ણન
·       વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
લોકમાન્ય ટિળક
·       દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
ધૂમકેતુ
·       આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
જોન ફ્લેયર
·       જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
શંકરાચાર્ય
·       જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
શ્રીમદ્ રાજચંદ્ર
·       ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
કવિ કાલિદાસ
·       .મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
·       .