24 April 2014

24/04/2014

પુસ્તકો વાંચવાથી લાઈફમાં શું કરવું તેની પ્રેરણા મળે છે

- ૨૩મી એપ્રિલને વાંચન પ્રેમીઓ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવે છે.

- પુસ્તકો નોલેજની સાથે જરૃરી એવું મનોબળ પૂરું પાડે છે.


પુસ્તકો વાંચવાથી લાઈફમાં શું કરવું તેની પ્રેરણા મળે છે

- ૨૩મી એપ્રિલને વાંચન પ્રેમીઓ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવે છે.

- પુસ્તકો નોલેજની સાથે જરૃરી એવું મનોબળ પૂરું પાડે છે.

માનવીનો  જીવનમાં વિવિધ પ્રકારનાં શોખ હોય છે. કેટલાક લોકોને માત્ર પુસ્તક વાંચનો શોખ હોય છે.પુસ્તકોમાં જીવન જીવવાની કળા છૂપાયેલી છે.  ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભ ભાઇ પટેલ જેવા મહાન લોકોનાં જીવન ઘડતર કરવામાંપુસ્તકોએે મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીજી એ જ્હોન રસ્કીનું પુસ્તક'અન ટુ ધિસ લાસ્ટ' વાંચ્યા બાદ આખું જીવન પલટાઇ ગયું હતુ.પુસ્તક વાંચનનો શોખ જીવનને સદાચાર  તરફ લઇ જાય છે. પુસ્તકો નોલેજ  તો આપે છે સાથે સંસ્કાર અને જીવન જીવવાનું મનોબળ પણ પુરું પાડે છે.આપણે વારેઘડીએ કહેતા હોઇ છીએ કે સારા પુસ્તકો વગરનું ઘર આત્મા વગરનું ઘર કહેવાય . એક પુસ્તક વાંચવાથી આખી લાઇફ ચેન્જ થઇ શકે છે. પુસ્તકો ખરેખર તો જીવનમાં  સુંગધ પ્રસરાવે છે. આપણે ૨૩ એપ્રિલના દિવસે પુસ્તક દિન તરીકે ઓળખીએ છીએ. અમે એવા કેટલાક નાગરીકોની સાથે વાત કરી છે જેમનું જીવન ખરેખર પુસ્તક વાંચ્યા પછી બદલાયુ છે અને તેમણે હંમેશા પ્રથમ મહત્વ અને સમય વાંચનને આપ્યુ છે.
સારા પુસ્તકોનું વાંચન કરવાથી વિચાર શકિત ખિલે છે અને જીવનમાં પણ પરિર્વતન આવતા હોય છે. ઘણી વખતે આપણે સુનમૂન બની જતા હોઇએ  છીએ ત્યારે પુસ્તકો મનોબળ પુરુ પડે છે. હું કોઇ પણ પ્રકારનાં પુસ્તક વાંચુ છું. ખરેખર તો પુસ્તક વાંચન કરવાથી જીવન જીવવાની ખરી દિશા તરફ જવાનો માર્ગ મળે છે.
જીવનની પરિભાષા શિખવા માટે પુસ્તકો ખુબ મદદરૃપ થાય છે. પુસ્તક વાંચવા એ મારો શોખ છે અને હવે હું અંગત પણ માનું છું કે દોસ્તી પણ એવા લોકો જોડે કરવી જેણે જીવનમાં સારા કહી શકાય તેવા ઓછામાં ઓછા ૧૦ પુસ્તકો વાંચ્યા હોય વાંચન માણસને હંમેશા નવો રસ્તો બતાવે છે અને  મુશીબતમાંથી બહાર નિકાળે છે.
હું જ્યારે ગાંધીજીની આત્મકથા વાંચન કરું છું ત્યારે ખરી સત્યની સાધના નિહાળવા મળે છે. ગાંધીજીની આત્મકથા વાંચ્યા બાદ જીવનમાં સત્ય, સાદાઇ, સદાચાર કેમ મહત્વનાં છે તેનો  અર્થ જાણવા મળ્યો છે. સારા કામો કરવાની પ્રેરણા મળે છે. પુસ્તકો જીવનનો ખરો ખોરાક છે. પુસ્તકો જીવન જીવવાની ચેતના  પુરી પાડે છે દુનિયામાં શ્રેષ્ઢ મિત્ર પુસ્તકો કહેવાય છે. - ટીના પારેખ, યંગસ્ટર્સ
પુસ્તક વાંચન કરવાથી જીવન પ્રત્યેનો દષ્ટીકોણ બદલાઇ જાય છે. આપણે સારા પુસ્તકો વાંચન કરવાની ટેવ પાડીએ તો નોલેજ તો મળે છે પરંતુ જીવન આવતી મુશ્કેલીનો સામનો કરવાનું મનોબળ પુરુ પાડે છે. પુસ્તકો વાચન કરવાથી સર્જનાત્મક વધારે વિકસે છે. પુસ્તકો ખરી રીતે આપણા જીવનનું અનમોલ રત્ન છે. પુસ્તકો જીવનમાં નવી પ્રેરણા અને સફલતા અપાવે છે.